ગુજરાત રાજ્યમાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની રચના તા.૦૮/૧૧/૧૯૬૫ના રોજ કરવામાં આવી. જાહેર વિતરણ વ્યવસ્થાના સંચાલન માટે એજન્સી સાથે સંકલન હાથ ધરી અનાજ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વ્યાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળતો રહે તે માટેની કામગીરી કરવામાં આવે છે.