જિલ્લાની નગરપાલિકાઓના વહીવટના સંદર્ભમા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની નિયંત્રણ અંગેની જોગવાઇઓ અનુસંધાને નગરપાલિકાઓ ઉપર વહિવટી નિયંત્રણ રાખવાની કાર્યવાહીઓ જેમાં કલમ ૨૫૭ તળે તપાસ અને ૨૫૮, ૨૫૯ તળે પગલાઓ લેવાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નગરપાલિકાઓમાં સંબધિત કાયદાઓની અમલવારી સરકારશ્રીની નિતિઓ અને કાયદાકીય બાબતોમાં નગરપાલિકાઓને માર્ગદર્શન, નગરપાલિકાઓની વાર્ષિક વહીવટી તપાસ અને ચીફ ઓફિસરના કાર્યો ઉપર દેખરેખ અને નિયત્રણનો પણ સમાવેશ થાય છે. આમ, ડી.એમ.ઓ ઓફિસ જીલ્લાની નગરપાલિકાઓ માટે વહીવટી નિયંત્રક તરીકેની ભુમિકા ભજવે છે.